આચાર મસાલો – અથાણાનો મસાલો બનાવો ઘરે અને સાથે શીખો ખજૂરનું અથાણું બનાવતા…

આચાર મસાલો એ દરેક ઘર માં લગભગ વપરાતો જ હશે અલગ અલગ ટાઈપ ના અથાણાં બનાવવા માટે , ઘણા લોકો બાર થી આચાર મસાલો લાવી ને અથાણું બનાવતા હોય છે ઘણા લોકો ઘરે બનાવતા હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે મસાલો બનાવવાની,

આજે હું તમને હું મારા ઘરે જે આચાર મસાલો બનવું છું તેની રીત બતાવીશ. જેનો ઉપયોગ કરી ને ઘણા અલગ અલગ અથાણાં બનાવી શકો ચો. મેં આ આચાર મસાલા નો ઉપયોગ કરી ને ખજૂર nu અથાણું બનાવેલું છે જેની રેસીપી જોવા અહીં આપેલી લિંક પર ક્લીક કરો.

તો ચાલો આચાર મસાલાઓ બનાવવાની રેસીપી જોઈ લઈએ. સૌ થી પેલા સામગ્રી જોઈએ. :

સામગ્રી :

  • ½ કપ રાય ના કુરિયા
  • ¼ કપ મેથી ના કુરિયા
  • ૧ ચમચી હિંગ
  • ૨ ચમચી હૂંફાળું તેલ
  • ૨ ચમચી મીઠું
  • ¼ ચમચી હળદર
  • ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં રાય ના કુરિયા લઇ લો , તેમાં મેથી ના કુરીઅ લઇ લો ,

જો તમારી પાસે મેથી ના કુરિયા ન હોય તો આખી સૂકી મેથી ને મિક્સર માં અધકચરી ક્રશ કરી લેવી તો પણ ચાલશે. હિંગ નાખી દો , હવે તેમાં નાખવાનું મીઠું ને પેલા રોસ્ટ કરી લેવાનું છે,

એક કડાઈ માં ધીમા ગેસ પર ૩૦ – ૪૦ સેકેન્ડ સુફધી રોસ્ટ કરવાનું છે જેથી મીઠા માં રહેલો ભેજ નીકળી જાય અને મસાલો લાંબા સમય સુધી સારો રહે.

હવે મેથી અને રાય ના કુરિયા માં , હૂંફાળું ગરમ તેલ રેડી દો, હળદર નાખી મિક્સ કરી લો , હૂંફાળા ગરમ તેલ સાથે જ હળદર નાખવી જેથી તે શેકાઈ જાય તેલ માં.

હવે રોસ્ટ કરી ને સાઈડ માં રાખેલું મીઠું નાખી દો ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી દો અને મિક્સ કરી લો.

એકદમ રેડી છે આચાર મસાલો. આ મસાલા ને તમે એર ટાઈટ બોટલ માં ભરી ને સાચવી શકો છો.અને કોઈ પણ અથાણું બનાવો તેમાં આ આચાર મસાલો તમે ઉપયોગ માં લઇ શાલો છો.


તેમજ આ આચાર મસાલો ખાખરા ઉપર સ્પ્રિન્કલ કરી ને કે પછી પરોઠા , ભાખરી અને થેપલા સાથે પણ સારો લાગશે.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *