અંજીર રોલ – જન્માષ્ટમી અને અન્ય તહેવારોના ઉપવાસમાં વગર ખાંડ કે ઓછી ખાંડ થી ઘરે સહેલાય થી બનતી શુદ્ધ મીઠાઈ…

અંજીર રોલ

મિત્રો જન્માષ્ટમી એ ગુજરાતીઓ નો મોટો તહેવાર છે ,છઠ્ઠા,સાતમ ને આઠમ આપણે ઘરે નવી મીઠાઈઓ બનવી ને ઉજવીયે છી ,બજાર માં મળતી મીઠાયેઓ ઘણી વખત શુદ્ધ નથી હોતી અને ખાંડ નું પ્રમાણ પણ વધારે હોઈ છે જે ડાયાબિટીસ ના દર્દીઓ માટે નુકસાન કારક હોઈ છે,

તો ચાલો આજે આપણે બનાવીશું આવી મીઠાઈ “અંજીર રોલ” કે જે વગર ખાંડ કે ઓછી ખાંડ થી ઘરે સહેલાય થી બનવી શકાય,તો ચાલો બનાવીયે અંજીર રોલ ,આ વાનગી મારી Zaika Jigna’s Kitchen Youtube Channel માં પણ આપેલી છે ,તે જોશો તો સરળતા થી બનાવી શકશો

સામગ્રી

(૧) ૨૦૦ થી ૨૫૦ ગ્રામ અંજીર -૩ થી ૪ કલાક દૂધ માં પલાળી ને ચૂરો કરેલા

(૨) અડધો કપ સેકેલા સૂકા મેવા નો જાડો ભૂકો -કાજુ,પિસ્તા,બદામ

(૩) જરૂર પ્રમાણે ખસ-ખસ

(૪) એલચી અને જાયફળ નો ભૂકો

(૫) ૨ થી ૩ ચમચી ઘી

(૬) થોડા કાજુ ને પિસ્તા ગાર્નીસિંગ માટે

(૭) ચાંદી નો વરખ

સૌથી પહેલા એક કડાઈ માં ૨ ચમચી ઘી લઇ તેમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ અંજીર -૩ થી ૪ કલાક દૂધ માં પલાળી ને મિક્સકર માં ચૂરો કરી અને નાખો હવે ધીમા તાપે કડાઈ માં સોત્રો હવે તેમાં અડધો કપ સેકેલા સૂકા મેવા નો જાડો ભૂકો નાખો,


હવે તેમાં સ્વાદ પ્રમાણે એલચી અને જાયફળ નો ભૂકો નાખો હવે તેને ધીમા તાપે મિક્ષ કરી સોત્રો ત્યાર પછી તેને ૧ પ્લાટ માં પાથરો ત્યાર બાદ તેનો હાથેથી રોલ બનાવો ,ત્યાર બાદ આ પ્લાટ માં રોલ ને સૂકા મેવા અને ખસ-ખસ ઉપર ફરીથી રોલ કરો,


હવે તેને અધડો કે એક કલાક માટે ફ્રીઝ માં મૂકી ને થડો કરો ,ત્યાર બાદ તેની ઉપર વિડિઓ લિંક માં બતાવ્યા પ્રમાણે ચાંદી નો વરખ લગાવી ને રાઉન્ડ સેપ માં કટ કરી ને પીરસો


વાનગી બનાવવાની સંપૂર્ણ રેસિપી :

આવી જ અવનવી સ્વાદિષ્ટ રેસિપી શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

સૌજન્ય : Website-www.jignaskitchen.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *