જો તમે વજન ઘટાડવા માટે ભૂખ્યા રહો છો ? તો આજે જાણો કે ભૂખ્યા રહેવાથી વજન ન ઉતરે

જ્યારે જ્યારે વજન ઉતારવાનો વિચાર કરીએ ત્યારે લગભગ દરેક વ્યક્તિ ખાવાનું ઓછું કરવાનો જ વિચાર કરવા લાગે છે. ઉપવાસ કરવાથી અથવા ભૂખ્યા રહેવાથી જે વજન ઉતરે તે તરત જ પાછું આવી જતું હોય છે.

શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસો કર્યા અથવા તો જૈનોના પર્યુષણમાં જે જે લોકોએ ઉપવાસો કર્યા તેમણે ઉપવાસ પત્યા પછી ઘણું સાંચવ્યા છતાં પણ વજન તો લગભગ બધું જ પાછું જ આવી ચૂક્યું હોય છે. માટે જ ઉપવાસ કરીને વજન ઉતારવાના જમાના હવે ગયા છે. દિવસ દરમિયાન દર બે કલાકે જો પોષણયુક્ત ખોરાક ખાવામાં આવે તો વજન ઉતરે છે. શરીરમાં તાકાત રહે છે. આ ઉપરાંત વાળ, સ્કીન વગેરે પણ સુંદર બને છે.
દિવસ દરમિયાન શરીરને જોઈતા પોષકતત્વોને જેઈતી કેલેરીવાળા ખોરાક સાથે કમ્બાઈન કરીને એટલે કે બેલેન્સ ડાયટ પ્લાન કરવામાં આવતું હોય છે. આ પ્રકારનું બેલેન્સ ડાયટ ફોલો કરવામાં આવે તો વ્યક્તિનું વજન તો ઉતરે જ છે.

ઘણીવાર રેજીંદા જીવનમા નાના નાના ફરક કરવામાં આવે તો વજન ઉતારી શકાય છે. જેમ કે-
– દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો. ઘણીવખત પાણી પીવાનું યાદ જ નથી આવતું અથવા તરસ જ નથી લાગતી તો. આવા સમયે દરરોજ સવારે 2 ગ્લાસ પાણી પીવો, રાત્રે સૂતા પહેલાં 2 ગ્લાસ પાણી પીવો. બપોરના 1 ગ્લાસ પાણી પીવો તથા જ્યારે યાદ આવે અને પાણી પીવો ત્યારે સાથે જ 2 ગ્લાસ પાણી પીવો.
– દિવસ દરમિયાન ઓછામાં ઓછું 1 વાટકો દાળ (જાડી) અથવા કઠોળ વાપરો જ. ઘણીવખત, આપણે સવારના જ નાસ્તામાં મગ અથવા દાળ વાપરવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ, પરંતુ સવારના જમવામાં દાળ અથવા કઠોળનો ઉપયોગ કરવાથી દિવસ દરમિયાન ભૂખ ઓછી લાગે છે. વળી, દાળ જાડી જ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે પાતળી દાળમાં સ્વાદ પણ ઓછો આવતાં ઓછી ખવાય છે અને પોષણ પણ ઓછું મળે છે.
– દિવસ દરમિયાન ઓછામાં ઓછા 2થી3 ફળોનો ઉપયોગ કરો. ફળ બને ત્યાં સુધી જુદા જુદા વાપરવા દરેક ફળમાં જુદા જુદા પોષકતત્ત્વો વધુ પ્રમાણાં આપેલા છે. માટે જો સવારના સમયે કેળુ વાપરો તો બપોરના સમયે પપૈયુ અથવા સફરજન વાપરો આમ જુદા જુદા ફળો લેવા જરૂરી છે. ઉપરાંત સીઝનલ ફ્રુટ વાપરવાનું ભૂલશો નહીં. સીઝનમાં ઉગતાં ફળો જેમ કે ફાલસા, જાંબુ, રાયણ, બોર, બદામ, ખજૂર પણ સીઝન પ્રમાણે જરૂરથી વાપરવા જોઈએ. આ ઉપરાંત ઘણીવખત ખોરાકની સાથે ફળ લેવાથી ગેસ અપચો થતો હોય છે ઉપરાંત તમારા એ સમયના ખોરાકની ટોટલ કેલેરી વેલ્યુ પણ વધી જતી હોય છે. માટે બને ત્યા સુધી જમણ સાથે અથવા જમ્યા પછી તરત જ ફળોનો ઉપયોગ ટાળવો.
– ખોરાકમાં કાર્બોદિત પદાર્થો બહુ જ મહત્ત્વના છે. જેવી રીતે રીપેરવર્ક માટે પ્રોટીન મહત્ત્વનું છે તેવી જ રીતે એનર્જી માટે કાર્બોદિત પદાર્થો જરૂરી છે. પરંતુ તેમને વધુપડતાં લેવાની જરૂર નથી. માટે જ રોટલી, ભાખી, ઘઉંની બ્રેડ વગેરે બંધ ના કરતાં જરૂર પ્રમણે વપરાશ રાખવો.આમ, શરીરને જોઈતા દરેક પોષકત્ત્વો શરીરને દરરોજ જ જોઈએ છે. ફક્ત અઠવાડિયામાં એક વખત રોટલી, દાળ, ભાત, શાક ખાવા અને બીજા દિવસોએ ઉપવાસો કરવાથી આપણે શરીરને નુકસાન કરીએ છીએ. દિવસમાં દર બે કલાકે શરીરને પોષણ આપતો ખોરાક લો. તેમાં તેલ, ઘીનું તથા ખાંડનું પ્રમાણ ઓછું કરી દો. જંકફુડ ખાવાનુ બંધ કરો અથવા અઠવાડિયામાં એક જ વખત ખાવું તેવું નક્કી કરો.

જો આજ પ્રમાણે ખાવાનું ધ્યાન બાળકોનું પણ રાખવામાં આવે તો તેઓ પણ નાનપણથી જ હેલ્ધી બનશે અને ઓબેસીટીથી દૂર રહેશે.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *