ચોકલેટ ખીર
કેમ છો દોસ્તો! શ્રાદ્ધ ચાલુ થયા.એટલે આપને સૌ ખીર, દૂધપાક બનાવતા જ હોઈએ છે.પિતૃતર્પણ માટે આપને ખીર તો બનાવીએ જ છે.શ્રાદ્ધ ભાદરવા મહિનામાં ગણપતિ પછી આવે છે.શ્રાદ્ધ ના ૧૬ દિવસ હોય છે.તેમાંથી કોઈ પણ એક દિવસે આપને પિતૃતર્પણ કરવું જોઈએ. પિતૃતર્પણ કરવાથી આપણા પૂર્વજો ના આશીર્વાદ આપની સાથે રહે છે.
ચોકલેટ એ નાના મોટા સૈા ને ભાવે છે.આપને ખીર બનાવીએ તો બધા ખાવા મટે થોડી હા ના કરે છે.પણ ચોકલેટ ખીર હોય તો? ચોકલેટ તો બધા ને ભાવે.તો હું ચોકલેટ ખીર લઈ ને આવી છું.તો સામગ્રી જોઈ લઈશું.
સામગ્રી
- ૧ બાઉલ રાંધેલા ભાત
- ૨ ચમચી કૉકો પાવડર
- ૨ ચમચી ચોકલેટ પાવડર
- ૨૫૦ ગ્રામ દૂધ
- ૧/૨ બાઉલ ખાંડ
- ૨ ચમચી ચોકો ચિપ્સ
રીત
સૌ પ્રથમ એક કડાઈ માં દૂધ એડ કરીશું.
દૂધ ગરમ થાય એટલે તેમાં કોકોપાવડર અને ચોકલેટ પાવડર એડ કરીશું.
ચોકલેટ પાવડર અને કોકો પાવડર મિક્સ થાય એટલે તેમાં ખાંડ એડ કરીશું.
ખાંડ ઓગળી જાય એટલે તેમાં રાંધેલા ભાત એડ કરીશું.
ખીર ને ૫ થી ૧૦ મિનિટ સુધી ઉકળવા દઈશું.
ખીર તૈયાર થઇ જાય એટલે ખીર ને સર્વ કરીશું.અને ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશ કરી લઈશું.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.