દહીં પરાઠા – રોજ સવારે નાસ્તામાં શું બનાવવું એ સવાલ થતો હોય છે તો આ રહ્યો બેસ્ટ ઓપશન…

સવાર પડે ત્યારથી દરેક મહિલાઓ ની એક જ સમસ્યા હોય છે કે નાસ્તામાં એવું શું બનાવવું કે જે દરેક લોકો ને પસંદ આવે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય. તો આજે અમે એક એવી વાનગી જણાવીશું કે જે તમારી એક દિવસની પરેશાની દુર કરશે. તેમજ ખુબજ હેલ્દી હોવાની સાથે સાથે બાળકોને તેમંજ મોટા લોકોને પણ ખુબજ પસંદ પણ આવે છે.

જમવામાં દહીં નો હોય તો નિયમિત રૂપે ભોજન માં દહીનું સેવન કરતા હોય છે.દહીં ને અમૃત સમાન માનવામાં આવે છે કેમકે તેનાથી શરીર માં શક્તિ નો સંચાર થાય છે તેમજ શરીર ને ઠંડક આપવાની સાથે તેમાં રહેલ તત્વો પર્યાપ્ત માત્રા માં હોવાથી તે શરીર ને લાભ આપે છે. દહીને ભોજન માં ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.તો આજે જ બનાવો …

સવારના નાસ્તામાં કઈ હેલ્દી નાસ્તો બનાવો .તો તમે ઘરે જ બનાવી શકો છો દહીં પરાઠા. તેને બનાવવા માટે વધારે પડતી સામગ્રી ની પણ જરૂર નથી રહેતી.

જરૂરી સામગ્રી :

  • – 1 કપ ઘવનો લોટ
  • – એક કપ દહીં
  • – ફુદીનો ( ટેસ્ટ ગમે તો )
  • – લીલા ધાણા જરૂર મુજબ
  • – 1 ચમચી લીલા મરચા,આદુ ની પેસ્ટ
  • – 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • – સ્વાદ અનુસાર મીઠું
  • – હળદર
  • – ચપટી હિંગ
  • – તેલ
  • – પાણી

બનાવવાની રીત :

સ્ટેપ :1

દહીં પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ ફુદીનો અને ધાના ને જીણા જીણા સમારી લેવા. હવે એક કથરોટ માં ઘઉવ નો લોટ જે આપને રોટલી માટે વાપરીએ છીએ એજ જીણો દલાવેલો લોટ લેવો.ત્યાર બાદ આ લોટ માં લીલા મરચા અને આદુ ની પેસ્ટ , હળદર,મરચું પાવડર , સ્વાદ અનુસાર મીઠું ,હિંગ અને આ માં મોણ નાખવા ની જરૂર નથી .એમનેમ સોફ્ટ થશે .બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવી.

સ્ટેપ :2

ત્યાર બાદ તેમાં ફુદીનો અને લીલા ધાણા નાખવા અને પછી તેમ દહીં અને જરૂરિયાત અનુસાર પાણી મિક્સ કરી લોટ બાંધી લેવો.પાણી નું પ્રમાણ ઓછું લોટ એકદમ મુલાયમ બંધાઈ જાય પછી તેને ૧૦ થી ૨૦ મીનીટ માટે મૂકી દેવો જેથી એકદમ કુણો પાડી જાય અને પરાઠા બીકુલ સોફ્ટ બને.

સ્ટેપ :3

૧૦ થી ૨૦ મિનીટ પછી આ લોટ માંથી નાના નાના લુવા બનાવી લેવા. અને પછી તેને પરાઠાન નો જે આકાર આપવો હોય ગોળ અથવા ત્રિકોણ અથવા ચોરસ એ આકાર માં વાણી લેવા. હવે એક તવા ને ગેસ પર ગરમ કરવા રાખી દો અને ગરમ તવા પર વણેલા પરાઠા મૂકી ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકી લેવા.જયારે પરાઠા શેકી જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લેવા, તો તૈયાર છે દહીં પરાઠા.

સ્ટેપ :4

આ પરાઠાને તમે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરો. તમે ઈચ્છો તો આ પરાઠા અથાણા સાથે પણ ખાઈ શકો છો.એક વાર જરૂર ટ્રાય કરો આ એકદમ આસાન અને ખુબજ ટેસ્ટી રેસીપી તમારા ઘરે દરેક લોકો આંગળા ચાટતા રહી જશે. તેમજ દરરોજ સવારે આવા પરાઠા ની જ ડીમાંડ આવશે.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *