કઠોળને ફણગાવવાની પરફેકટ રીત, શીખો સ્ટેપ બાય સ્ટેપ…

ફણગાવેલા કઠોળ નું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને અપને રોજીંદા ઉપયોગ માં લેવા જ જોઈએ.

તમે કોઈ પણ કઠોળ ને ફણગાવી શકો છે. મેં મગ અને મઠ ને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડ માં કાચા ખૂબ જ સરસ લાગે છે.

ફણગાવેલા કઠોળ માં ભરપૂર પ્રમાણ માં વિટામીન , મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચન માં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકો ના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવન માં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ વધારવો જોઈએ .

આ બનાવાની ખૂબ જ સરળ રીત છે.

ફણગાવેલા કઠોળ બનાવા માટે ની

સામગ્રી:-

1 કપ મોટા મગ

1 કપ મઠ

પાણી

કોટન નું પાતળું કપડું

રીત.

સૌ પ્રથમ મગ અને મઠ ને સાફ કરી ને 8-10 કલાક માટે સાદા પાણી માં પલાળો.


હવે 8- 10 કલાક પછી 3-4 પાણી એ ધોઈ ને ચારણી માં નિતારી લો.

બધું પાણી નિતારી જાય ત્યાં સુધી ચારણી માં રહેવા દો.


(સાવ કોરા નથી કરવાના)

હવે આ નિતારેલા મગ અને મઠ ને પાતળા કોટન કપડાં માં નિકાળી ને કપડાં માં બાંધી લો.

આ મગ-મઠ બાંધેલું કપડું એક તપેલાં માં મુકો અને આ તપેલા ને ઢાંકણ થી બરાબર બંધ કરી ને થોડી ગરમ જગ્યા એ મૂકી દો. લગભગ 24 કલાક માં તમારા ફણગાવેલા મગ અને મઠ તૈયાર છે.

આ ફણગાવેલા મગ- મઠ તમે કાચા કે બાફીને ઉપયોગ માં લઇ શકો છો.


નોંધ:-

8-10 કલાક થીવધુ કઠોળ ના પલાળવું.

બરાબર ધોઈ ને જ કપડાં માં બાંધવું નહીં તો વાસ આવી જાશે.

ચણા અને રાજમાં જેવા કઠોળ ને 2 દિવસ જેટલો સમય લાગે છે ફણગાવતા.

સાવ કોરા કરશો તો એના ફણગા નહીં ફૂટે.

અતિશય પાણી વાળા બાંધશો તો વાસ આવી જાશે એટલે ખાસ ધ્યાન રાખવુ પાણી નિતારવામાં.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *