મોહનથાળ….
લગભગ બધા જ તહેવારો માં બનાવવા માં આવતી ખુબજ સ્વાદિષ્ટ મીઠાઈ છે. આપણા ગુજરાતીઓના દરેક ઘરોમાં મોહનથાળ તો બનતો જ હશે . તો ચાલો આજે આપણે પણ બનાવી લઈએ …. પરફેક્ટ માપ થી બનાવશો તો એકદમ સરસ દાણેદાર અને પોચો મોહનથાળ બનશે …..
તો જાણી લઈએ તેના માં વાપરતી સામગ્રી …..
- ૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
- ૧૦૦ ગ્રામ માવો
- ૭૦૦ ગ્રામ ખાંડ
- અર્ધો કપ – દૂધ
- ૫૦૦ ગ્રામ – ઘી
- ઈલાયચી
- ચરોળી
- કેસર
રીત:
૧- ચણાના લોટમાં બે ચમચા ઘી તથા દૂધ નાખો ધાબો દઇ અડધો કલાક દબાવી રાખો.
૨- લોટને ચાળીને ધીમા તાપે શેકવો.ગુલાબી રંગનો થાય એટલે ઉતારીને થાળીમાં કાઢી લો.
૩- પછી ઘી માં માવો શેકી લો.ગુલાબી રંગ નો થાય એટલેએ એને ચણાના શેકેલા લોટમાં ભેળવવો.
૪- ખાંડ ની ચાસણી બનાવી તેમાં લોટ માવો રેડી દેવો સાથે થોડું દૂધ પણ રેડવું.
૫- પછી એક મિનિટ હલાવી થાળીમાં ઠારી દેવું.
૬- ઉપર ઈલાયચી ,ચારોળી ,બદામ ,ભભરાવવા.
૭- થોડું ઠંડુ પડે એટલે ઉપરથી થોડું ઘી ગરમ કરી રેડવું.
બરોબર ઠરી જાય એટલે ચોસલા પાડવા.
તો તૈયાર છે ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ ડિશ
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.