સેવૈયા ખીર
આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની શકે એવી sweet dish છે . બનાવવા માં પણ એકદમ સરળ . આ મીઠાઈ મૂળ ૩ સામગ્રી થી બને છે – દૂધ , સેવૈયા અને ખાંડ . બસ. આપણે જે કેસર , એલૈચી અને જાયફળ ઉમેરીશું એ સ્વાદ ને boost કરનાર છે .
આ મીઠાઈ ગરમ કે ઠંડી પીરસી શકાય . બેય રીતે સ્વાદ ઉત્તમ જ લાગશે . દક્ષીણ ભારત માં આ મીઠાઈ ને ‘પાયાસમ’ કહે છે . દક્ષીણ ભારતીય થાળી જો આપ હોટેલ માં જમશો તો જરૂર આ મીઠાઈ તો હશે જ.
તો ચાલો જોઈએ આ દૂધ ની મીઠાઈ બનશે કેવી રીતે …
નોંધ :
સેવૈયા ને સેમીયા પણ કહે છે અને vermicelli પણ, જે કોઈ પણ મોટી દુકાન કે સુપર માર્કેટ માં આરામ થી મળી જશે . હવે તો માર્કેટ માં શેકેલી સેવૈયા પણ તૈયાર મળે છે .
સામગ્રી:
• ૧ વાડકો સેવૈયા
• ૧ લીટર દૂધ
• ૧ વાડકો ખાંડ
• ૧.૫ ચમચી એલૈચી જાયફળ નો ભૂકો
• ૧/૨ ચમચી ઘી –સેવ ને શેકવા માટે
• થોડા કેક્સર ના તાંતણા
• ૧/૪ વાડકો બાદામ અને કાજુ ના ના કટકા
રીત :
સૌ પ્રથમ એક તપેલા માં દૂધ ને ગરમ કરી લો . નાની વાડકી માં કેસર ના તાંતણા અને ૨ ચમચી ગરમ દૂધ પલાળી દો. આમ કરવા થી કેસર ની રંગ અને સ્વાદ ખીલી ને આવશે .જાડા તળિયા વાળા તપેલા માં ઘી લો , એમાં સેવ ને ધીમા ગેસ પર શેકો . હલાવતા રેહવું એટલે સેવ બધી બાજુ થી બરાબર શેકાય . આમ ઘી માં શેકવાથી એક સરસ મજાની ફ્લેવર અને સ્વાદ ઉમેરાશે.
જયારે સેવ સરસ શેકાય ને બ્રાઉન કલર ની થઇ જાય એટલે એમાં ગરમ દૂધ ઉમેરો . માધ્યમ આંચ પર ઉકળવા દો. વચ્ચે હલાવતા રેહવું એટલે તળિયા કે સાઈડ પર સેવ કે દૂધ ચોંટે ની . ઉકાળવામાં ઉપર જે મલાઈ આવે એને સાઈડમાં કરતા રેહવાનું ..૭-૧૦ min સુધી ઉકાળવું .
પલાળેલું કેસર , ખાંડ અને એલૈચી જાયફળ નું ભૂકો ઉમેરો. બાદામ કાજુ ના કટકા ઉમેરો. ૨-૩ min ઉકાળવા દો.
દૂધ ઠંડુ પડશે એટલે વધારે ઘટ્ટ થઇ જશે તો એવી રીતે જ ઉકાળવું. મને આ મીઠાઈ ઘટ્ટ જ ભાવે . સજાવટ માટે થોડી બાદામ ની કાતરણ અને કેસર ઉમેરી શકાય . ઠંડુ પડે એટલે ફ્રીઝ માં ૫-૬ કલાક માટે મૂકી દો .
મારા પરિવાર ને આ ખીર મસાલા પૂરી સાથે બહુ જ ભાવે. આપ પણ ટ્રાય કરજો બહુ જ ભાવશે .
રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.