તંદુરસ્ત રહેવા માટે તમામ પ્રકારના વિટામિનની જરૂર પડે છે પરંતુ, વિટામિન-એ આપણા શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે. વિટામિન-એ બદામ, સીંગદાણા અને અખરોટ તેમજ લીલા શાકભાજીમાં જોવા મળે છે પરંતુ, તમે તેને સરળતાથી કેપ્સ્યુલ તરીકે પણ લઈ શકો છો.
તમે તેને બજારમાં સરળતાથી શોધી શકો છો અને તમારે તેના માટે વધુ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. આજે અમે વિટામિન-એ કેપ્સ્યુલના સેવનના ફાયદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. બદલાયેલી જીવનશૈલીમાં લોકો વિટામિન્સની ઉણપને પહોંચી વળવા માટે કેપ્સ્યુલ્સ નો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમા વિટામિન-એ માત્ર આંખો અને સારા સ્વાસ્થ્ય માટે જ નહી પણ તંદુરસ્ત ત્વચા માટે પણ ખૂબ મહત્વનું પોષકતત્વ છે.
તેમાં રેટિનોલ નામનું તત્વ હોય છે, જે ત્વચાની ઘણી સમસ્યાઓ ને દૂર રાખવામાં મદદ કરે છે. તેથી જ નિષ્ણાતો ત્વચાની સંભાળના રૂટિનમાં આહારમાં વિટામિન એ શામેલ કરવાની પણ ભલામણ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે વિટામિન એ ત્વચા માટે કેવી રીતે અને શા માટે ફાયદાકારક છે.
ખીલથી છૂટકારો મેળવો :
વિટામિન એ કોષો નું ટર્નઓવર વધારે છે, જે ત્વચા ને છિદ્રો ને બંધ થવાથી અટકાવે છે. આ સાથે, તે સોજો, લાલાશ, ખીલ અટકાવવામાં પણ અસરકારક છે. તમે આ માટે પ્રિસ્ક્રિપ્શન રેટિનોઇડ ક્રીમ નો પણ ઉપયોગ કરી શકો છો.
કરચલીઓ ઘટાડે :
તેના એન્ટિઓક્સિડન્ટ ગુણકોમાં સુધારો કરે છે. તે એની-એજિંગ પ્રક્રિયા ને પણ ધીમી કરે છે, જે ઝીણી રેખાઓ, કરચલીઓ, ઝાંખરા જેવી સમસ્યાઓ ને ઘટાડે છે.
ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે :
વિટામિન એ બ્રેકઆઉટ ને રોકવામાં અને ત્વચાની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે કુદરતી મોઇશ્ચરાઇઝિંગ ને પણ પ્રોત્સાહન આપે છે, જે ત્વચા ને હાઇડ્રેટેડ રાખે છે.
રંગ સુધારે :
વિટામિન એ ક્રીમ હાનિકારક સૂર્ય કિરણો સામે રક્ષણ ઉપરાંત ડાઘ ને હળવા કરવામાં મદદરૂપ થાય છે. આ માત્ર ત્વચા ને ચમકાવે છે, એટલું જ નહીં પરંતુ રંગ પણ સુધારે છે.
વિટામિન-એ ભરપૂર માત્રામાં મળે :
આ માટે આહારમાં હેરિંગ, સાલ્મોન અને ટુના જેવી માછલીઓ નો સમાવેશ કરો. આ ઉપરાંત દૂધ, દહીં, ચીઝ, ડેરી પ્રોડક્ટ્સ, ઇંડા, શક્કરટેટી, ગાજર, પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી, તરબૂચ, મરચાં, કેરી અને એપ્રિકોટ ખાઓ. સાથે જ અઠવાડિયામાં બે થી ત્રણ વખત નારિયેળ પાણી પીવો.
જો તમે શારીરિક ફેરફારો કરવા માંગતા હોવ તો દરરોજ ખાઓ વિટામિન-એ કેપ્સ્યુલ, શરીરમાં થશે આ મોટા ફેરફારો