ગ્રહોના સંયોગથી તમામ રાશિના લોકોના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. આ સમયે ગુરુની મીન રાશિમાં 3 ગ્રહોનો સંયોગ છે. ગુરુ, સૂર્ય અને બુધ મીન રાશિમાં છે જે મળીને ત્રિગ્રહી યોગ બનાવે છે. આ ત્રિગ્રહી યોગ તમામ રાશિના લોકો પર મોટી અસર કરશે કારણ કે ગુરુ સૌભાગ્યનો કારક છે, સૂર્ય સફળતાનો કારક છે અને બુધ ધન અને બુદ્ધિનો કારક છે. આવો જાણીએ કઈ રાશિ માટે આ ત્રિગ્રહી યોગ ઘણો લાભ અપાવશે.
મીન રાશિમાં ત્રિગ્રહી યોગ આ લોકોનું ભાગ્ય ખોલશે :
વૃશ્ચિક:
મીન રાશિમાં બનેલો ત્રિગ્રહી યોગ વૃશ્ચિક રાશિના જાતકોને ઘણો લાભ આપશે. પૈસા અચાનક મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને આ યોગ ખૂબ જ પ્રગતિ આપી શકે છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. જીવનસાથી સાથે સંબંધ વધુ સારા રહેશે.
ધનુ :
સૂર્ય, ગુરુ અને બુધના સંયોગથી બનેલો આ ત્રિગ્રહી યોગ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. પૈસા મળવાની પ્રબળ તક છે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. નવી ઘર-ગાડી, મોંઘા દાગીના-કપડા ખરીદી શકો. અટકેલા કામ પૂરા થવા લાગશે.
મીન:
મીન રાશિમાં જ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્ય, બુધ અને ગુરુનો સંયોગ છે. જે આ રાશિના જાતકોને ઘણો લાભ આપશે. આ રાશિના લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી રહેશે. લોકો તમારી તરફ ખેંચાશે. જીવનસાથી સાથે સારું રહેશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.
કન્યા :
ઓછી મહેનતમાં વધુ લાભ મળવાની સંભાવના છે. કાર્યસ્થળ પર સારું વાતાવરણ રહેશે. જૂના દેવા ચુકવી શકશો. નવું કામ શરૂ કરતા પહેલા તમારે તમારા પિતાની સલાહ અવશ્ય લેવી.
તુલા:
સાસરી પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ઘણા સમયથી અટકેલા કામ પૂરા થશે. બાળકો સાથે સમય વિતાવો.