મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. બંને બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કપલ કયા દિવસે લગ્ન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા અને રણબીર આ અઠવાડિયામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના કારણે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હવે આ લગ્ન વિશે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ગેસ્ટ લિસ્ટ જણાવવામાં આવ્યું છે.
સગા કાકાને હજુ નથી મળી કંકોત્રી
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરના લગ્નમાં માત્ર 28 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોના મતે, આલિયાના સગા કાકા મુકેશ ભટ્ટને હજી સુધી કંકોત્રી આપવામાં આવી નથી. તો કપૂર ખાનદાનમાં રણબીરના મોટા પપ્પાને પણ હજી સુધી ઇન્વાઇટ કરવામાં આવ્યા નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, મુકેશ ભટ્ટના મહેશ ભટ્ટ સાથેના વિવાદને કારણે તેમને હજી સુધી કંકોત્રી આપવામાં આવી નથી.
સૂત્રો જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે પ્રોડક્શન હાઉસ ‘વિશેષ પ્રોડક્શન’ના ભાગલા પાડવામાં આવ્યા હતા અને એનાથી આલિયાના પિતા મહેશ ભટ્ટને ઘણો જ આઘાત લાગ્યો હતો. તેઓ કંપનીના ટેક્નિકલ તથા ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલા હતા, પરંતુ મુકેશ ભટ્ટની સાથે તેઓ ઇમોશનલી એટેચ્ડ હતા. આ જ કારણે તેઓ ઘણાં જ હર્ટ થયા હતા. આ ઉપરાંત મુકેશ ભટ્ટે સુશાંત સિંહ રાજપૂત પર કરેલી ટિપ્પણીથી પણ મહેશ ભટ્ટ નારાજ થયા હતા.
લગ્નમાં 28 મહેમાન આવશે. 28 મહેમાનમાં કપૂર પરિવારના મહેમાનો વધુ હશે, જ્યારે બાકીના મહેમાનોમાં આલિયાની માતા સોની રાઝદાનના હશે.