અંબાણી પરિવાર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક અજાણ્યા કોલરે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ફોન કરીને સમગ્ર અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે જણાવ્યું કે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બુધવારે અજાણ્યા નંબર પરથી આ ધમકીભર્યો કોલ આવ્યો હતો.કોલરએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને બાળકો આકાશ અંબાણી અને અનંત અંબાણીને મારી નાખવાની ધમકી આપી હતી.
ધમકીભર્યા કોલની ફરિયાદ મળતા જ પોલીસ સક્રિય બની છે. પોલીસે ધમકીના કોલના સ્ત્રોતને ટ્રેસ કરવા કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ફોન કરનારને ટૂંક સમયમાં શોધી શકાશે.
રિપોર્ટ્સ અનુસાર, સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન નંબર 1257 પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ફોન કરનારે મુકેશ અંબાણી, નીતા, આકાશ અને અનંતને મારી નાખવાની ધમકી આપી હતી. ફોન કરનારે હોસ્પિટલને ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી.
આ વર્ષે 15 ઓગસ્ટના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આવો જ કોલ કરવામાં આવ્યો હતો અને અહેવાલો અનુસાર, વ્યક્તિએ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર આઠ ધમકીભર્યા કોલ કર્યા હતા, જેમાં મુકેશ અંબાણીના જીવને જોખમ હતું. ગયા વર્ષે, મુકેશ અંબાણીના મુંબઈના ઘર ‘એન્ટીલિયા’ની બહાર 20 વિસ્ફોટક જિલેટીન સ્ટિક અને ધમકીભર્યા પત્ર સાથે સ્કોર્પિયો સેડાન મળી આવી હતી. એન્ટિલિયાની સુરક્ષા ટીમે શંકાસ્પદ સ્કોર્પિયો અંગે પોલીસને જાણ કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ સાથે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી. પોલીસ તે નંબર પરથી પણ ગુનેગારને પકડવાની કોશિશ કરી રહી છે.