આ વર્ષે ગજકેસરી યોગ 22 માર્ચ 2023 ના રોજ રચાઈ રહ્યો છે. મીન રાશિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી આ યોગ બનવા જઈ રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિની અસર તમામ રાશિઓમાં જોવા મળે છે. તેવી જ રીતે ગજકેસરી યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે, પરંતુ આ સંયોગ ચોક્કસ રાશિના લોકો માટે ફળદાયી સાબિત થશે. તો ચાલો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે.
કર્ક :
ગજકેસરી રાજયોગની શુભ અસર કર્ક રાશિ પર જોવા મળશે. આ દરમિયાન તમે તમારી કારકિર્દીમાં સારું પ્રદર્શન કરશો. તમારા વિદેશ પ્રવાસ પર જવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. સરકારી નોકરી મળવાના ચાન્સ પણ છે. જે કામો ઘણા સમયથી અધૂરા હતા, હવે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
ધન :
ધનુ રાશિના લોકો માટે ગુરુ-ચંદ્રના જોડાણની શુભ અસર જોવા મળશે. આ સમય દરમિયાન તમને અચાનક પૈસા મળી શકે છે. વેપારનો વિસ્તાર કરી શકશો. મીડિયા, ગ્લેમર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. નવી ડીલની પુષ્ટિ થઈ શકે છે, જે તમને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે.
મીન :
ગુરુ અને ચંદ્ર મીન રાશિમાં સંયોજિત છે, તેથી આ રાજયોગની શુભ અસર આ રાશિના લોકો પર સૌથી વધુ રહેશે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. સંબંધો વધુ સારા બનશે. જીવનમાં ખુશીઓ આવશે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો.