ભારત સરકાર ચૂંટણી પહેલા મધ્યમ વર્ગના લોકો માટે નવી ભેટ લાવવાની છે. આયુષ્માન ભારત યોજના, જે અત્યાર સુધી માત્ર ગરીબી રેખાથી નીચેના લોકો માટે આરોગ્યને આવરી લે છે, તેમાં હવે મધ્યમ વર્ગના લોકોને પણ સામેલ કરવામાં આવશે. સરકાર આ માટે આયુષ્માન ભારત 2.0 વર્ઝન તૈયાર કરી રહી છે. તેનાથી ભારત ના 40 કરોડ લોકો ને રાહત મળશે.
ETના જણાવ્યા અનુસાર, આયુષ્માન ભારત યોજના ની તર્જ પર નવી યોજના ના અમલ માં સામેલ ખર્ચ અને પડકારોને ધ્યાન માં રાખીને હાલ માં વિવિધ વિકલ્પો ની તપાસ કરવામાં આવી રહી છે. જો આમ થશે તો આવક વેરામાં રાહત આપ્યા બાદ મધ્યમ વર્ગ માટે સરકાર તરફ થી આ વધુ એક ભેટ સાબિત થઈ શકે છે. આરોગ્ય વીમા કંપની સાથે વાતચીત ચાલી રહી છે: અહેવાલ
રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે સરકાર ના આ નવા આયુષ્માન ભારત 2.0 વર્ઝન માં પહેલા ની જેમ 5 લાખ રૂપિયા નું કવરેજ આપવાની વાત છે. આ ઉપરાંત વ્યક્તિ ગત ટોપ-અપના આધારે પણ તેને લાવવા માટે વાત ચીત ચાલી રહી છે. બીજી તરફ, અન્ય વિકલ્પ તરીકે, આરોગ્ય વીમા કંપની ને આ યોજના માં સામેલ કરી શકાય છે, જેમાં તેમને પોસાય તેવા ખર્ચે મૂળભૂત તબીબી કવરેજ આપવાનું કહેવામાં આવશે.
અત્યારે ગરીબો ને હેલ્થ કવરેજ મળી રહ્યું છે આયુષ્માન ભારત યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ગરીબો ને આરોગ્ય યોજના પૂરી પાડવા માટે શરૂ કરી હતી. પ્રધાન મંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ દેશ ના 10 કરોડ પરિવારો ને લાભ આપવાનું લક્ષ્ય હતું. આ યોજના હેઠળ, સરકાર દેશ ના 50 કરોડ લોકો ને મફત સારવાર આપે છે, એટલે કે 50 કરોડ લોકો ને વાર્ષિક 5 લાખ રૂપિયા નું આરોગ્ય કવરેજ આપવામાં આવે છે.