નડિયાદમા લવ જેહાદની ઘટના પ્રકાશમા આવ્યા પછી અત્યાચારનો ભોગ બનેલી યુવતી રિચા (નામ બદલ્યું છે)એ અમારી સામે પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. રિચાએ દુબઈમા વિતાવેલ ૧૫ દિવસ અને એ પછી નડિયાદ પાછા આવ્યા પછી ચાર મહિના સુધી વેઠેલી યાતનાઓ વિશે કાળજુ કંપાવી દે તેવી હકીકતો રજૂ કરી હતી. અહીં વાંચો રિચાના શબ્દોમા તેની કહાની…
યાસરે પોતાની ઓળખાણ વણકર તરીકે આપી હતી :
રિચાએ જણાવ્યુ, ‘ધોરણ ૧૨ અભ્યાસ કર્યા બાદ મેં નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ૨૦૨૦ના નવેમ્બરમા મને ફેસબુક પર એક યાસર પઠાણની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. મેં રિકવેસ્ટ એક્સેપ્ટ કરી નહીં. એક દિવસ હું મારી મમ્મીને નોકરીએ મૂકીને પાછી આવી ત્યારે એક છોકરો મને મળવા આવ્યો હતો. તેણે મને કહ્યું કે ફેસબુક પર મે જ તમે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે. તે પછી તે ત્યાથી જતો રહ્યો. પછી તે મને એકલામા મળવાની કોશિશ કરતો હતો અને ઘણીવાર મારો પીછો કરતો હતો. પછી તેણે મારો નંબર લીધો એ પછી બંને અમે ફોન પર એકબીજા સાથે ઘણી વાતો કરતા. તેણે પોતાની ઓળખ વણકર જ્ઞાતિનો હોવાની આપી હતી.’
જય કદમે મને નકલી વિઝા બનાવી આપ્યો હતો :
વધુ તે કહે છે કે, ‘પછી યાસરે મને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને આપણે ઇન્ડિયા છોડી વિદેશમા જતાં રહીશું. બાદમા તેણે મારી ઈચ્છા વિરુદ્ધ એકથી વધારે વખત જાતીય સંબંધ બાનાવ્યો હતો. પોલેન્ડ જવા માટેના વિઝાના નામ પર તેણે મારી પાસેથી ૫ લાખ રૂપિયા પણ માંગ્યા હતા. હું પોલેન્ડ જવાની છું એવુ મારા માતા-પિતા માનતા હોવાથી જય કદમે પોલેન્ડનો નકલી વિઝા બનાવી દીધો હતો જે મેં મારા માતા-પિતાને બતાવ્યો પણ હતો. મારા માતા-પિતાએ તેમના ઘરેણાં ગીરવે મૂકીને પોલેન્ડ જવા માટે પૈસાની રકમ મને આપી હતી. બાદમા યાસરે આપણે દુબઈ જઈએ ત્યાં હું કમાઈને વધારે પૈસા ભેગા કરીશ એમ કહીને દુબઈ જવાની વાત પણ કરી હતી. ૨૦૨૧મા ૧૦ ઓક્ટોબરે તેણે મારી દુબઈની ટિકિટ કરાવી અને મને એકલી મોકલી હતી.’
હું ૭ દિવસ મુસ્લિમ પરિવાર સાથે રહીશ : પીડિતા :
રિચા કહે છે કે, ‘અમદાવાદ એરપોર્ટ પર જય કદમ મને મૂકવા માટે આવ્યો હતો અને પરાગ રાજપૂત નામના એક એજન્ટે મને દુબઈ એરપોર્ટ પરથી શારજહાના અરમાન સ્થિત અલ-મલીકા હોટલમા રોકાણ આપવામાં આવ્યો હતો. હોટેલ પહોંચ્યા બાદ પહેલા તો હું ડરી ગઈ હતી, બીજી બાજુ મારું ૨ જ દિવસનુ બુકિંગ હોવાથી રિસેપ્શન પરથી મને રૂમ ખાલી કરવા માટે ફોન આવ્યો હતો. તેથી મેં એજન્ટ પરાગને ફરી ફોન કરી બીજા સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા કહ્યુ હતુ. પરંતુ પરાગે મને કહ્યું કે તમારા એજન્ટે જે રૂપિયા આપ્યા હતા, તે હવે પૂરા થઈ ગયા છે. તેથી નાછૂટકે મેં પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપી તેથી તે ડરી ગયો હતો અને શારજહાના યજમાન કરામા સ્થિત એક મુસ્લિમ પરિવારને ત્યા લઈ ગયો હતો. ત્યાં હુ ૭ દિવસ માટે મુસ્લિમ પરિવાર સાથે રહીં હતી. મને ત્યા જરાય પણ ગમતુ ન હતુ, પરંતુ યાસરે થોડો સમય વિતાવી લે, તેમ કહ્યું ગમેતેમ કરી મે દિવસ વિતાવ્યા હતા. હું દુબઈ આવી હતી પણ મારા માતા-પિતા એવું માનતા કે હું પોલેન્ડ માં છું.’
‘હંમેશા મારા પિતા મારા પર ખૂબ વિશ્વાસ કરતા હતા’ :
તે કહે છે કે, ‘મારા પિતા મારી બધી વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. દુબઈમા વોટ્સએપ પર એક વીડિયો કોલિંગ ન થતુ હોય તેથી હું ઓડિયો કોલ પર જ વાત કરતી હતી. દુબઈમાં નડિયાદથી ફોન આવે ગયા બાદ પણ જ્યારે ફોન આવે ત્યારે મને ખૂબ સારું છું, મને અહીં ફાવે છે, હું મજામા છું એમ કહીને વાત ટૂંકી કરી દેતી હતી. તેથી પરિવારજનોને કદી પણ હકીકતની ખબર પડી ન હતી.’
મારી સાથે બિનકુદરતી સેક્સ પણ કરતો હતો : પીડિતા :
પીડિતા કહે છે કે, ‘યાસરે મને દુબઈથી અમદાવાદની મારી ટિકિટ કરાવી આપી હતી. ૨૦૨૧ની ૫ નવેમ્બરે ભારત આવી. યાસર અને તેના પિતા જાબીરે મને રણમુક્તેશ્વર મહાદેવી મંદિર પાસે એક ભાડાના ઘરમાં રાખી હતી. ભાડાના મકાનમા હું બધા ઘરકામ કરતી અને યાસરને હું ખુશ રાખવાનો પ્રયત્ન પણ કરતી હતી. પરંતુ ધીમે ધીમે યાસર અને તેના પરિવારની યાતનાઓ શરૂ થઈ ગઈ. તે જબરદસ્તી મને બુરખો પહેરાવી ઘરમા જ બંધ રાખતો હતો. તે ઘરની બહાર જાય તો પણ ઘરની બહારથી તાળુ મારીને તે બહાર જતો હતો. યાસર મને ધર્મ અને જ્ઞાતિવાચક ગાળો પણ બોલતો હતો. ગુસ્સામા તે મારી સાથે બિનકુદરતી રીતે સેક્સ કરી મને ખૂબ પીડા આપતો હતો.’
‘યાસરના ભાઈએ મને ગુપ્ત ભાગે અડકવાનો પ્રયત્ન પણ કર્યો હતો’ :
આગળ વાત કરે છે કે, ‘દરમિયાન યાસરના પિતા જાબીરખાન અને તેનો ભાઈ ફૈઝલે વારાફરથી મારા ઘરે આવવાનુ શરૂ કરી દીધું હતું. તે જે રીતે મારી સાથે વાત કરતા અને મારા શરીરને અડકવાનો પ્રયત્ન કરતા માટે તેને લઈ એક સ્ત્રી તરીકે હું તેમની માનસિકતા સમજી સકતી હતી. જાબીરખાને મારી સાથે હાથ પકડી ઘણી વાર જબરદસ્તી ગુપ્ત ભાગે અડવાનો પ્રયત્ન પણ કરતા મે જોર જોરથી બૂમો પાડતા તેઓ ઘરમાથી બહાર ભાગી ગયા હતા. યાસરની સેક્સ ભુખને લીધે તે મને પીરીયડના સમયમા પણ મારી સાથે બળજબરી કરીને સેક્સ કરતો હતો. જેના લીધે મને પ્રેગનન્સી પણ રહી ગઈ હતી. મેં યાસરને વાત કરતા તેણે મને ગર્ભપાતની ગોળીઓ આપી હતી. તે પછી તેની માતા મને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યા મારું નામ આયાતબાનુ તરીકે લખવ્યું હતું. જ્યા તપાસ પછી પ્રેગ્નેન્સી નહીં હોવાનુ કહ્યું હતું.’
તેના પરિવારે મને યાસર સાથે સંબંધ ન હોવાની નોટિસ પણ બતાવી હતી : પીડિતા :
યુવતી વધારેમાં કહે છે કે, ‘એ પછી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ યાસર અચાનક જ ગુમ થઈ ગયો હતો. તે બાબતે મેં તેના પિતાને ફોન કરીને પૂછતા તેમણે સબ્ર કર આવી જશે એમ જણાવ્યુ હતું. પણ ૨૮ ફેબ્રુઆરીના રોજ તેમણે મને એક નોટીસ બતાવીને કહ્યું કે અમારે હવે યાસર સાથેના કોઈ પણ સંબંધ નથી. એટલુ જ નહીં તેમણે એમ પણ કહ્યુ કે તે તારો પતિ છે, તો તુ જાતે જ તેને શોધી લે. તે પછી હું યાસર ગુમ થયાની ફરિયાદ નોંધાવવા માટે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી.’
‘મને બળજબરી બુરખો પહેરાવતા હતા, નમાજ-કલમા પણ પઢાવતા હતા’ :
પીડિતા કહે છે કે, ‘યાસર ગુમ થયાના એક અઠવાડીયા હું એકલી રહેતી હતી. એ વખતે તેના પરિવારે મારા પર ખૂબ અત્યાચાર કરતો હતો. હું ભોળાનાથની ભક્ત હોવાથી મારી પાસે એક ભોળાનાથનો ફોટો હતો, એ પણ તેમણે ફાડી નાખ્યો. તેઓ મને બળજબરીપૂર્વક બુરખો પણ પહેરાવતાં અને નમાજ-કલમા પણ પઢાવતા હતા. યાસરના ટેન્શનમા હુ એક આખુ અઠવાડીયું જમી પણ ન હોતી. યાસર ગૂમ થયાની ફરિયાદ કર્યા પછી જ્યારે પણ હું તેના ઘરે ગઈ ત્યારે તેના પરિવારે મને ઘરમા ઘૂસવા પણ દીધી ન હતી. મારા પર તે ગાળોનો વરસાદ કરતાં હતા. ત્યારે હું ખૂબ રડી હતી. મારાથી સહન ન થતા મેં પાણી માગ્યું ત્યારે તેના ઘરવાળાઓએ ઉપરથી પાણીની ડોલ લબડાવી મને પાણી આપીને બેઆબરૂ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આખરે મેં હિંમત એકઠી કરી પોલીસમા ફરિયાદનો આસરો લીધો હતો.’
યાસરને શોધવા માટે પોલીસે બે ટીમ બનાવી હતી :
પોલીસે ફરિયાદ પછી પહેલા દિવસે જ યાસરના પરિવારના ૭ સભ્યો અને પોલેન્ડના વિઝાની ફોટો કોપી કરનાર યુવક મળીને એમ કુલ ૮ લોકોની ધરપકડ કરી હતી અને તેમણે જેલ ભેગા કરી દીધા હતા. જોકે મુખ્ય આરોપી યાસર ખાન પઠાણ હજી પણ ફરાર હોવાથી તેને પકડી પાડવા માટે પોલીસે ૨ ટીમો પણ બનાવી હોવાનુ ડીવાયએસપી એસ.ટી.એસ.સી.સેલ કે.સી.પટેલે કહ્યું હતું. મહત્વની વાત છેકે પોલીસ ફરિયાદ નોંધાઈ તે પહેલાની તા.૨૫ ફેબ્રુઆરીથી જ યાસર ગુમ થયો છે. તેને શોધવા માટે રિચાએ પણ નડિયાદ ટાઉન પોલીસ મથકે અરજી કરી હતી.