આજે આપણે વાત કોમેડી અને સૌથી પસંદીદા ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કરવાના છીએ આ સિરિયલ વર્ષ ૨૦૦૮થી સતત દર્શકોનુ મનોરંજન કરી રહી છે. આ સિરિયલમા એક કરતા વધારે પાત્રો જોવા મળે છે. આજે અમે એવા જ એક પાત્ર વિશે વાત કરવાના છીએ તે હવે આ સીરિયલનો ભાગ નથી પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ કોઈ ફરક પડ્યો નથી તેના ચાહકો આજે પણ અકબંધ છે. હા, અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી દિશા વાકાણીની તે આ ટીવી સિરિયલમા ખૂબ પ્રિય ‘દયા બેન’ના રોલમા જોવા મળી રહ્યા હતા. તે વર્ષ ૨૦૧૭મા પ્રેગનેન્સી લીવ પર ગયા તે બાદ દિશા વાકાણી હજી સુધી આ સીરિયલમા જોવા મળ્યા નથી.
આ શોના નિર્માતા અભિનેત્રીનો ઘણી વાર સંપર્ક પણ કર્યો હતો. જોકે, આ અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’મા કમબેક કરવામા રસ ન દાખવ્યો હતો. કહેવાય છે કે, સીરીયલના મેકર્સે તો ત્યા સુધી પણ કહી રહ્યા છે કે જો દિશા આ સીરીયલમા પાછા આવવા માંગતી નથી તો આ સીરીયલમાં નવી દયાભાભી સાથે આગળ વધશે.
જો કે, આ સીરિયલના નિર્માતાઓને હજુ પણ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ મળી રહ્યું નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઘરે ઘરે ફેમસ થયેલી દયાભાભી મોટી મિલકતની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દિશાની નેટવર્થ (કુલ મિલકત) અંદાજે ૩૭ કરોડ રૂપિયા જેટલી છે. આમા ફિલ્મો-ટીવી સિરિયલો અને જાહેરાતો તેમજ બીજા ઘણા સ્ત્રોતોમાથી થતી કમાણીનો સમાવેશ પણ થાય છે.
તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ ખાલી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જ નહી પરંતુ દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને લવ સ્ટોરી ૨૦૫૦ જેવી ઘણી ફિલ્મોમા પણ કામ કરી ચૂક્યા છે.