તુલસી વિવાહ ક્યારે છે ? જાણો તારીખ, શુભ સમય અને તેનું મહત્વ

આપણા ધર્મમાં તુલસી વિવાહનું ખુબ જ મહત્વ છે. આ દિવસોમાં ખુબ જ વિશેષ પૂજા કરવામાં આવે છે. પરંતુ લોકો આ દિવસે પૂજાના મુહર્તને લઈને ખુબ ચિંતામાં રહે છે. હિંદુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. તેને દેવશયની એકાદશી અને હરિ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ 5 નવેમ્બર 2022ના રોજ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના પછી તેમના યોગ નિદ્રામાંથી જાગે છે. પુરાણોમાં ઉલ્લેખિત કથા અનુસાર આ દિવસે ભગવાન શાલિગ્રામના વિવાહ માતા તુલસી સાથે થયા હતા. શાલિગ્રામને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તમામ એકાદશી તિથિઓમાં દેવશયની એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે.

image source

કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ વખતે તુલસી વિવાહ 5 નવેમ્બર 2022, શનિવારે છે. દ્વાદશી તિથિ 5 નવેમ્બરે સાંજે 6.08 કલાકે શરૂ થશે અને 6 નવેમ્બરે સાંજે 5.06 કલાકે સમાપ્ત થશે. તુલસી વિવાહના પારણાનો સમય બપોરે 1.09 થી 03.18 સુધીનો છે.

તુલસી વિવાહ પછી તમામ શુભ કાર્ય શરૂ થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. વૈકુંઠ લોક સંસારના સર્વ સુખ ભોગવીને પ્રાપ્ત થાય છે.

image source

ભગવાન શાલિગ્રામ વિષ્ણુનું સ્વરૂપ છે અને માતા તુલસીને સંપત્તિની દેવી એટલે કે લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત વિશેષ માનવામાં આવે છે. તેના માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ અને સહસ્ત્રનામ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. સાંજે, માતા તુલસીને કન્યાના રૂપમાં તૈયાર કરો અને તેમની વિધિવત પૂજા કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *