હાલમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના બે મજબૂત સ્તંભોમાંથી એક છે. બંને ખેલાડીઓ એકદમ સિનિયર છે અને આજે તેઓ સાથે મળીને યુવા ખેલાડીઓને પણ માર્ગદર્શન આપી રહ્યા છે.રોહિતે 2007માં કરિયરની શરૂઆત કરી હતી જ્યારે કોહલીએ 2008માં ડેબ્યૂ કર્યું હતું. લાંબા સમયથી બંને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. બંનેએ સાથે ઘણી યાદગાર ભાગીદારી પણ કરી છે પરંતુ શું તમે જાણો છો, બંને એકબીજાને ખૂબ જ ચિડવે છે અને તેથી જ બંને એકબીજાના દુશ્મન છે.
રોહિત-વિરાટ એકબીજાને ચીડવે છે
વાસ્તવમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા મિત્રો નહીં પરંતુ દુશ્મન છે. હા, આ બિલકુલ સાચું છે. રોહિત-વિરાટ એકબીજાના દુશ્મન છે. બંને એકબીજાને ખૂબ ચીડવે છે. તેની પાછળનું કારણ એ છે કે બંને ટીમ ઈન્ડિયાના નંબર-1 ક્રિકેટર બનવા ઈચ્છે છે અને બંને કેપ્ટન બનવા ઈચ્છતા હતા.
જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે કોહલી તેની પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવા માંગતો હતો, જ્યારે કોહલી કેપ્ટન હતો ત્યારે રોહિત તેની પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવા માંગતો હતો અને બંને પોતાના પ્લાનમાં સફળ રહ્યા હતા. આ જ કારણ છે કે છેલ્લા 5-6 વર્ષથી બંને વચ્ચે અણબનાવ છે અને બંને એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા. રોહિત-વિરાટ એકબીજાથી મોટા બનવા માંગે છે, જેના કારણે તેમનો અહંકાર ટકરાય છે.
પૂર્વ કોચે બંને વચ્ચેની દુશ્મનીનો ખુલાસો કર્યો છે
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે પોતાના પુસ્તક ‘કોચિંગ બિયોન્ડ’માં વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેની દુશ્મનીનો ખુલાસો કર્યો છે. પોતાના પુસ્તકમાં તેણે જણાવ્યું કે કેવી રીતે વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયામાં બે કેમ્પ બનાવવામાં આવ્યા હતા.
એક રોહિત કેમ્પ અને બીજો વિરાટ કેમ્પ. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા હતા. જો કે, બાદમાં રવિ શાસ્ત્રીએ (તે સમયે મુખ્ય કોચ) બંનેને સમજાવ્યા, પરંતુ તેની કેટલી અસર થઈ તે તો રોહિત-વિરાટ જ જાણશે.