જો તમે નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માંગો છો તો કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું પડશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ, સિનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમ (SCSS) વગેરે જેવી સ્કીમમાં રોકાણ કરવા માટે PAN અને આધારને ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અગાઉ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરવા માટે આધાર નંબર સબમિટ કરવો ફરજિયાત ન હતો.
પરંતુ હવેથી આધાર એનરોલમેન્ટ નંબર સબમિટ કરવો ફરજિયાત રહેશે. આ સિવાય મર્યાદા થી વધુ રોકાણ કરવા પર પણ પાન કાર્ડ ની જરૂર પડશે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 30 સપ્ટેમ્બર 2023 થી સ્મોલ સેવિંગ્સ સ્કીમ માં રોકાણ કરનારા લોકો ને આધાર નંબર આપવો જરૂરી બનશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આધાર કાર્ડ વગર ખાતું ખોલાવશે તેને 6 મહિના ની અંદર આધાર નંબર આપવો પડશે.
શું PAN પણ આપવો ફરજિયાત છે? આ સિવાય જો ખાતું ખોલાવતી વખતે પાન કાર્ડ આપવામાં આવ્યું ન હોય તો 50 હજાર થી વધુ રકમ હોય તો ખાતું ખોલ્યા ના 2 મહિના ની અંદર ખાતું ખોલાવવું પડશે. તમામ ક્રેડિટ જો નાણાકીય વર્ષમાં કુલ રૂ. 1 લાખથી વધુ હોય અથવા ઉપાડ અને ટ્રાન્સફર એક મહિના માં રૂ. 10,000 થી વધુ હોય. આ તમામ પરિસ્થિતિ ઓમાં 2 મહિના ની અંદર પાન કાર્ડ જમા કરાવવાનું રહેશે.
જો આધાર કાર્ડ આપવામાં ન આવે તો શું? જો સ્મોલ સેવિંગ્સ સ્કીમ માં રોકાણ કર્યા પછી 6 મહિના ની અંદર આધાર નંબર આપવામાં નહીં આવે તો એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. જેમનું ખાતું પહેલાથી જ ખોલવામાં આવ્યું છે તેઓ એ 1 ઓક્ટોબર, 2023 સુધી માં તેમનો આધાર આપવાનો રહેશે, નહીં તો તેમનું એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવશે.