બિહારના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે નવાદામાં જનસભાને સંબોધિત કરતા મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતીશ કુમાર અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે જો તમને બંનેને લાગે છે કે તમને ફરીથી બીજેપીનું સમર્થન મળશે તો ભૂલી જાવ, તમારા માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. અમિત શાહે કહ્યું કે હું બિહારના લોકોને આશ્વાસન આપું છું કે અમે હવે નીતિશ કુમાર સાથે ગઠબંધન કરવાના નથી.આ પહેલા અમિત શાહે કહ્યું કે આજે મારે સાસારામ જવાનું હતું, જ્યાં મારે મહાન સમ્રાટ અશોક માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો. પરંતુ, સાસારામમાં હિંસા ફેલાઈ છે, હંગામો થયો છે. તેથી જ હું જઈ શક્યો નહીં. હું જલ્દી સાસારામ જઈશ.
આ સાથે જ અમિત શાહે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે હું દેશનો ગૃહમંત્રી છું, તેથી હું બિહારની સાથે સાથે સમગ્ર દેશની ચિંતા કરું છું. સાસારામ અને નાલંદા હિંસા પર બોલતા અમિત શાહે કહ્યું કે હું બિહારના લોકોને કહેવા માંગુ છું કે 2024માં બિહારને 40 સીટો આપો અને 2025માં ભાજપની સરકાર બનાવો. તોફાનીઓને ઉંધા લટકાવીને સીધા કરવામાં આવશે. અમે તુષ્ટિકરણની રાજનીતિ નથી કરતા. સાસારામ અને નાલંદાની ઘટનાથી હૃદય દુઃખી છે.સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે તેઓ ખુરશી માટે લાલુ યાદવનો ટેકો છોડી શકે તેમ નથી. પરંતુ, ભાજપની કોઈ મજબૂરી નથી. બીજી તરફ અમિત શાહે લાલુ પ્રસાદને સંદેશ આપતા કહ્યું કે જો તમે વિચારી રહ્યા છો કે નીતિશ કુમાર પીએમ બનશે અને નીતીશજી તમારા પુત્ર તેજસ્વી યાદવને સીએમ બનાવશે તો આશા છોડી દો કારણ કે ન તો નીતિશ કુમાર પીએમ બનશે. તેજસ્વીને સીએમ બનાવશે નહીં.
ગૃહમંત્રીએ કહ્યું કે વિવિધ સ્થળોએ જાતિવાદની રાજનીતિ કરી રહેલા નીતિશ કુમાર અને ભ્રષ્ટાચારના પ્રણેતા લાલુ યાદવ સાથે ક્યારેય કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કાળાબજાર અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાવશે. અમિત શાહે કહ્યું કે નીતીશ કુમાર જી, તમે લોકોને ઘણી વખત છેતર્યા, તમે જેની સાથે ગયા તે યુપીએએ બિહારને શું આપ્યું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે નવાદાથી દિલ્હી સુધીની ટ્રેન પણ ચાલુ છે. પીએમ મોદીએ 1 કરોડ 10 લાખ માતાઓને ગેસ સિલિન્ડર આપ્યા. પીએમ આવાસ યોજના 40 લાખ લોકોને ઘર આપવાની યોજના છે. અયોધ્યામાં એક આસમાન ઊંચુ રામ મંદિર બની રહ્યું છે.