માતાજી મોગલની સેવા કરનાર ઋષિ ચારણ મણીધર બાપુએ લીધો મોટો નિર્ણય, કહ્યું કે માતાજી મોગલ નો આ આદેશ છે કે….

આપણે બધા તો જાણીએ છીએ કે મોગલ માતાજીનો મહિમા તો અપરંપાર છે. માતાજીના ચરણે આવનાર તમામ ભક્તોનું માતાજી ભલું કરે છે અને જીવનમાં ક્યારેય દુખ આવવા દેતા નથી અને જો જીવનમાં દુઃખ આવે તો માતાજી તે દુઃખ સહન કરવાની શક્તિ આપે છે અને માતાજીને ચરણે આવનાર લોકો ધન્યતા નો અનુભવ કરતાં હોય છે ત્યારે માતાજી પ્રત્યેના ભાવથી અને શ્રદ્ધાથી માતાજી આજે પણ લોકોના કામ કરે છે અને તેના હજારો દાખલા આપણે સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ.

image source

કચ્છના કબરાઉ ખાતે મણીધર મોગલ વડવાળી બેઠી છે અને માતાજીની સેવા કરવા માટે ઋષિ ચારણ મણીધર બાપુ પણ ત્યાં સાક્ષાત બિરાજમાન છે. મિત્રો હાલના સમયમાં મણીધર બાપુ એક મોટો નિર્ણય લીધો છે જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચાલો આ વિષે અમે તમને વિગતવાર જણાવીએ.

હાલમાં મણીધર બાપુએ જણાવ્યું કે માતાજી મોગલ નો આદેશ છે કે માતાજી તમને બધાને સુખી રાખે પરંતુ આજથી તમે અહીંયા કોઈ વસ્તુઓ ચઢાવવા માટે લઈને આવતા નહીં. મણીધર બાપુએ આગળ જણાવ્યું કે અહીં અગરબત્તી નાળિયેર ચોખા અને ઘી જેવી તમામ પ્રકારની વસ્તુઓની જરૂર અહીંયા માતાજી મોગલ ને નથી એટલા માટે આપણે અહીં લઈને આવી નહીં અને માતાજી મોગલ ને માત્ર ભાવની જરૂર છે તમે દર્શને આવો અને માતાજીના આશીર્વાદ મેળવો. મણીધર બાપુ કહે છે કે માતાજી મોગલ અહીંયા રૂપિયા પણ લેતી નથી અને માતાજી મોગલ લેવા વાળી નહીં પરંતુ આપવા વાળી છે માટે અહીંયા બે ધડક ભક્તિ માટે આવો પરંતુ ખાવાનું લઈને અહીં આવતા નહીં કારણ કે માતાજીની મનાઈ છે.

image source

આપણે જાણીએ જ છીએ કે મણીધર બાપુ અહીંયા માતાજી ના સ્થાનક એક રૂપિયો પણ ન મુકવાનું કહેતા હોય છે અને તેઓ કહે છે કે માતાજી પર તમે શ્રદ્ધા રાખજો માતાજી તમારું કામ કરશે અને માતાજી પણ તમે જે વિશ્વાસ રાખ્યો છે તેના કારણે માતાજી એ કામ કર્યું છે અને મણીધર બાપુનું કહેવું છે કે તમે ગાય ના ઘાસચારામાં પૈસા વાપરો ભૂખ્યા દીકરા દીકરીઓને જમાડવામાં પૈસા વાપરો અહીંયા માતાજીને પૈસાની જરૂર નથી. તમારો ભાવ છે એ જ માતાજીને જોઈએ છે માતાજી તો ભાવની ભૂખી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *