ખીર એ સૌથી સરળ મિષ્ટાન્નોમાંની એક છે. આ બનાવવા માટે માત્ર ચોખા અને દૂધ જોઈએ છે જે આસાનીથી મળી રહે છે. આ જ કારણ છે કે પહેલાના લોકો ખીરને ખૂબ જ પસંદ કરતા હતા.
ખીર ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે પરંતુ તેને હવન, અનુષ્ઠાન વગેરેમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ખીરમાં અનેક ગુણકારી તત્વોનું મિશ્રણ હોય છે. આ કારણે ઘણા મંદિરોમાં ભગવાનને ખીરનો પ્રસાદ ચડે છે. કેટલાંક મંદિરોમાં ભગવાનને ખીરથી સ્નાન પણ કરાવવામાં આવે છે. આ માટે શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાને અનિવાર્ય માનવામાં આવે છે.
સામગ્રી :
1)ચોખા ૧ કપ
2)ખાડ ૧ કપ
3)દૂધ ૧ લીટર ( ગાય નું દૂધ )
4)૧/૨ કપ ડ્રાય ફ્રૂટ
5)કેસર વાળું દૂધ
રીત :
સ્ટેપ :1
દૂધ ને ગરમ કરવા મૂકો.
સ્ટેપ :2
ચોખા ને સરખી રીતે ધોઈ ને થોડું પાણી ઉમેરી ચોખા ને ચડવા મુકી દો .ગેસ ને મીડીયમ રાખવો .ચોખા ચડી જાય અને ચોખા માંથી પાણી બડી જાય એટલે તેમાં દૂધ માં ઉમેરો.
સ્ટેપ :3
દૂધ બરાબર ઉકળી જાય ત્યાર પછી તો ત્યારબાદ ખાંડ ઉમેરો.
સ્ટેપ :4
થોડી વાર ખીર ને ઉકળવા દો.ત્યારબાદ તેમાં કેસર વાળું દૂધ ઉમેરો .તે પછી ખીર નો રંગ બદલાઈ જસે.
સ્ટેપ :5
છેલ્લે એલચી પાઉડર અને કાજૂ,બદામ નાખો.ખીર તૈયાર છે. ઠંડી કે ગરમ ખાવો.
નોંધ :
જો તમને ખીર instant જોતી હોય તો તમે ચોખા ને કુકર માં 3-4 સીટી વગાડી .એટલે ચોખા ચડી જાય ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી બનાવી શકો છો ….. ખીર માં ઉમેરવાં નું દૂધ ગાય નું લ્યો તો વધારે સ્વાદિષ્ટ લાગશે .
રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.