બાથરૂમમાંથી આવતી વાસને કારણે મૂડ વારંવાર ખરાબ થઈ જાય છે. તેમજ ઘરમાં કોઈ મહેમાન આવે તો તેમની સામે પણ શરમ અનુભવવી પડે છે. બાથરૂમની વાસ દૂર કરવા માટે તમે મોંઘામાં મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હશે, પરંતુ બાથરૂમમાંથી વાસ જતી નહિ હોય. આવામાં કેટલાક ઘરેલુ અને અસરદાર રીતે તમે વાસને દૂર કરી શકો છો. કિચનમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે બાથરૂમની વાસમાંથી છૂટકારો મેળવી શકો છો.
લીંબુનો રસ
લીંબુના રસને બાથરૂમ ફ્લોર પર રેડીને થોડા સમય બાદ બાથરૂમનો દરવાજો બંધ કરી દો. બાદમાં પાણીથી બાથરૂમને ધોઈ લો. તમારા બાથરૂમમાંથી વાસ આપોઆપ જતી રહેશે.
વિનેગર
પાણીમાં વધુ માત્રામાં વિનેગર મિક્સ કરીને બાથરૂમમાં ફેલાવી દો અને થોડો સમય બાથરૂમનો દરવાજો બંધ રાખો. બાદમાં પાણીથી બાથરૂમ ધોઈ લો. સપ્તાહમાં એકવાર આવી રીતે બાથરૂમ ધોઈ લેવું.
પ્લાન્ટ્સ લગાવવા
બાથરૂમમાં ખુશ્બુ આવે તેવા પ્લાન્ટ્સ લગાવીને તમે બાથરૂમની વાસને દૂર કરી શકો છો. આ ઉપરાંત તમે જ્યારે બાથરૂમનો ઉપયોગ ન કરી રહ્યા હોય તો તેને બંધ કરી લો. તેનાથી વાસ આવવાની સમસ્યા પણ દૂર થઈ જશે.
બેકિંગ સોડા
બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને રોજ બાથરૂમ ધોઈ લેવું, તેનાથી પણ વાસ જતી રહેશે. આવી રીતે તમે ઘરની ટાઈલ્સ પણ સાફ કરી શકો છો.
મીણબત્તીનો ઉપયોગ
રાતના સમયે બાથરૂમમાં સુગંધીદાર મીણબત્તી લગાવવાથી સવાર સુધી વાસ ગાયબ થઈ જશે. આ ઉપરાંત બાથરૂમને હંમેશા ભીનો રાખવાથી પણ તેમાંથી વાસ આવતી રહે છે. તેથી બાથરૂમને લાંબા સમય સુધી ભીનો ન રાખવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ