તમે શિયાળામાં ગાજરનો હળવો ખાધો જ હશે, સાથે સલાડ બનાવવા માટે પણ આપણે ગાજરનો ઉપયોગ કરીએ છીએ. ગાજરથી તૈયાર દરેક વાનગી આપણા હૃદયને ખુશ કરે છે. ગરમ ગાજરના હલવો નામ સાંભળીને દરેકના મોમાં પાણી આવી જાય છે. બદામ, ઘી, ખાંડ અને મેવામાંથી બનતો ગાજરનો હળવો દરેક લોકોને પસંદ હોય છે, પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કારણ કે તેમાં ખાંડનો ખૂબ ઉપયોગ થાય છે. તેથી તે દરેક માટે આરોગ્યપ્રદ નથી. પરંતુ તમારે અસ્વસ્થ થવાની જરૂર નથી. કારણ કે ગાજરનું સલાડ પણ આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ ગાજરનું સલાડ બનાવવાની રીત અને તેના સેવનથી થતા ફાયદા વિશે.
ગાજરનું સલાડ કેવી રીતે તૈયાર કરવું
તમે તમારા આહારમાં આરોગ્યપ્રદ આહાર તરીકે ગાજરમાંથી તૈયાર કરેલું આ સલાડ પણ શામેલ કરી શકો છો. આ વિશેષ વાનગીમાં ફક્ત ગાજર જ નથી, પરંતુ તેમાં ઘણી તંદુરસ્ત વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જેમાં લીલા મરચા, સફેદ તલ, લીલા ધાણા ના પાન, લીમડાના પાંદડા, લીંબુ, સરસવ, મધ, મીઠું, મધ અને એવોકાડો તેલ શામેલ છે. આ સલાડ એવોકાડો તેલનો ઉપયોગ કર્યો છે, પરંતુ આ સિવાય પણ તમે આ સલાડમાં તમારા મનપસંદ તેલનો ઉપયોગ કરી શકો છો.
ગાજરનું સલાડ બનાવવાની રીત –
ગાજરનું સલાડ બનાવવા માટે સૌથી પેહલા ગાજરની છાલ કાઢો અને ગાજરને છીણી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સરસવ, લીલા મરચા અને લીમડાના પાન નાખો.
ત્યારબાદ તેમાં છીણેલું ગાજર, સમારેલી કોથમીર, લીંબુનો રસ, મધ અને મીઠું નાખો.
આ બધી વસ્તુઓ બરાબર મિક્ષ કર્યા પછી સરસવ અને લીલા મરચા નાખો.
આ પછી તેને પ્લેટમાં સર્વ કરો.
સુશોભન માટે તમે કોથમીર અને સફેદ તલનો ઉપયોગ કરી શકો છો.
તમારું ગાજરનું સલાડ તૈયાર છે.
ગાજરના સલાડ ખાવાથી થતા ફાયદાઓ જાણો –
1. બ્લડ પ્રેશર કંટ્રોલ થશે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે ગાજર ફાયદાકારક છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ગાજરનું સેવન અસરકારક છે. ગાજરમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને ઘટવા અથવા વધવા દેતું નથી. આવી સ્થિતિમાં શિયાળામાં ગાજરમાંથી તૈયાર થયેલું આ હેલ્ધી સલાડ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
2. આંખોના સ્વાસ્થ્ય માટે ગાજરનું સલાડ
ગાજરમાં વિટામિન એ ભરપુર માત્રામાં હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. એટલું જ નહીં, ગાજરમાં બીટા કેરોટિન હોય છે, જે આપણને મોતિયા જેવી આંખોની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. જેમને ઓછું દેખાય છે તેમને ગાજરના સલાડનું સેવન કરવું જ જોઈએ.
3. ગાજરના સલાડના સેવનથી ત્વચા ગ્લોઈંગ થશે
ગાજરનું સેવન કરવાથી પેટની અગવડતા દૂર થાય છે. આ સાથે ગાજરના સેવનથી ત્વચાની સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગાજરના સલાડનું નિયમિત સેવન કરવાથી તમે ખીલની સમસ્યાથી રાહત મેળવી શકો છો.
4. એનિમિયાની સમસ્યાથી છૂટકારો મેળવો
ગાજરમાં આયરન ભરપુર હોય છે. તેથી જ જ્યારે મોટા ભાગના ડોકટરો એનિમિયા હોય ત્યારે ગાજર ખાવાની સલાહ આપે છે. આ સાથે તેમાં વિટામિન ઇ પણ જોવા મળે છે, જે આપણા શરીરમાં લોહી બનાવવામાં મદદગાર છે. ગાજરના સલાડના સેવનથી તમે એનિમિયાની સમસ્યાને દૂર કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત