અડદિયા કચ્છ ની પ્રસિદ્ધ મિઠાઈ છે. જે શિયાળામાં જ મળે છે . અડદિયા આરોગ્ય માટે પણ અનેક રીતે લાભકારી છે. આ મિઠાઈ શુદ્ધ ઘી માં બનાવામાં આવે છે. આજે આપણે સરસ કણીદાર અડદિયા બનાવીશું. જે ખૂબ જ હેલ્થી છે…
કચ્છી અળદીયા
સામગ્રી :
- અળદનો લોટ – ૨૦૦ ગ્રામ
- દેશી ઘી – ૨૦૦ ગ્રામ
- મીઠોમાવો – ૧૫૦ ગ્રામ
- ખાંડ – ૧૦૦ ગ્રામ
- દૂધ જરૂરીયાત મુજબ
- ગુંદર – અર્ધો કપ
- કીસમીસ – ૨ ચમચી
- પીસ્તા ૨ – ચમચી
- કાજુ – ૨ ચમચી
- ખસખસ શેકેલી – ૨ ચમચી
- સુંઠ પાવડર – ૩ થી ૪ ચમચી
- એલચી પાવડર- ૨ ચમચી
- જાયફળ પાવડર -1/2 ચમચી
- તજ લવીંગ પાવડર -1 ચમચી
- સફેદ મરી પાવડર – 1 ચમચી
- જાવંત્રી પાવડર – 1 ચમચી
- પીપરીમુળ પાવડર – 1/2 ચમચી
રીત :
૧ – ધાબુ આપવા ધી ગરમ કરો. થોડું દૂધ ગરમ કરો. જરૂરીયાત મુજબ લોટમા નાખી ધાબુ આપો. થોડું ઠરે એટલે હાથેથી મિક્સ કરો.
કલાક માટે ઢાંકી રહેવા દો. ૨ – ચારણામા લઈ ને ચાળી લો. લોટ રવા જેવો કરકરો થશે.
ઘી મા ગુંદર તળી ભુક્કો કરી રાખો. ખાંડની 1 તાર ની ચાસણી કરી ઠરવા દો.
હવે ઘી મા લોટ શેકો. ધીમા તાપે ઘી ઉપર આવે ત્યા સુધી શેકવુ. પછી તેમાં માવો ઉમેરો.
૩ – ધીમાતાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકવુ. પછી તેમાં બધાં મસાલા, ગુંદર નાખી દો.
ગેસ બંધ કરી દો. ૫ મીનીટ ઠરે પછી ચાસણી નાખવી. મિક્સ કરી થાળીમા ઠારી આખી રાત્રી રહેવા દો. પછી તેના પીસ પાડી દેવા.
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.